દિલ્હી-
રાજધાની દિલ્હીની હિન્દુ રાવ હોસ્પિટલમાંથી ૨૩ કોરોના દર્દી ગુમ થયાના મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાએ સ્વાસ્થ્ય વિભાગને રિપોર્ટ રજુ કરવા નિર્દેશ આપ્યા છે.સીસોદીયાએ એક અખબારમાં છપાયેલ ખબરના અનુસંધાને સ્વાસ્થ્ય વિભાગને આજ સાંજ સુધીમાં રિપોર્ટ આપવા નિર્દેશ આપ્યા છે. તેમણે સ્થાસ્થ્ય વિભાગને જણાવેલ કે આ રિપોર્ટથી જવાબદારી નક્કી થશે અને દોષીત કર્મચારી ઉપર કાર્યવાહી પણ કરાશે. અખબારમાં છપાયેલ ખબર મુજબ ૧૯ એપ્રિલથી ૬ મે સુધીમાં બાડા હિન્દુ રાવ હોસ્પિટલમાંથી ૨૩ દર્દીઓ ગુમ થયેલ. આ ૨૩ દર્દીઓ ઓથોરીટીને જાણ કર્યા વગર જ ચાલ્યાં ગયાનું દિલ્હી નગર નિગમના અધિકારીઓએ જણાવેલ. હાલ આ દર્દીઓ બીજી કોઇ હોસ્પિટલમાં દાખલ થયા છે કે નહિ. અથવા ઘરે ચાલ્યા ગયા છે તે અંગે અધિકારીઓને કોઇ માહિતી નથી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments