ગાંધીનગર-


રાજયમાં ક્રાઈમ પર અંકુશ લાવવા પોલીસ બેડા સાથે વીડિયો કોન્ફરન્સ યોજતા મુખ્યમંત્રી 


રાજ્યમાં એક તરફ કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે.ત્યારે સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ચુસ્તતાથી પાલન કરવાઈ તેમજ રાજ્યના રાજકોટ ઉપરાંત અમદાવાદ, સુરત, અને વડોદરા જેવા મહાનગરોમાં વધતા જતા ક્રાઈમરેટ પર અંકુશ મેળવવાની સ્પષ્ટ સૂચના મુખ્યમંત્રી દ્વારા પોલીસને આપવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજ્યના પોલીસ અધિકારીઓ પ્રજાહિતના કામો અને કાયદો વ્યવસ્થાના પાલનમાં રાજ્ય સરકાર ક્યારેય તેમને રોકશે નહિ જ પોલીસ અધિકારીઓ હિમ્મત પૂર્વક આગળ વધે તેવી સ્પષ્ટતા કરી હતી. એટલું જ નહીં પ્રજા ને સતત પ્રતીતિ થાય કે પોલીસ સદાય તેની પડખે છે. તેવા વલણ સાથે અને અસામાજિક પ્રવૃતિઓ સામે સખતાઈથી પેશ આવવાની સ્પષ્ટ સૂચનાઓ વિજય ભાઈ એ આપી હતી. આજે મુખ્યમંત્રી નિવાસેથી વિજય રૂપાણીએ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રાજ્યના મહાનગરોના પોલીસ કમિશનરો રાજ્યની વિવિધ રેન્જના આઇ.જી તેમજ તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકો સાથે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ યોજી હતી. 

મુખ્યમંત્રીએ કાયદા વ્યવસ્થાની આ સમીક્ષા બેઠકમાં કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમનું ચુસ્તતાથી પાલન કરવામાં આવે તેવી ટકોર કરી હતી.તો સાથોસાથ તેમણે કોરોના સંક્રમણ કાળ માં કોરોના વોરિયર્સ તરીકે રાજકોટ સહિત રાજ્યના પોલીસ બેડા એ જે કામગીરી પ્રજાના મિત્ર તરીકે અને પ્રજા હિતમાં કરી છે તેની પ્રસંશા કરી હતી. સાથે સાથે લોકડાઉન ના પાલન અને હવે અન લોક ડાઉન ની સ્થિતિમાં પણ પોલીસ ની કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. આ વેળા એ તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે પોલીસ દળ ને સમય સાથે ચાલવા સજજ કર્યું છે અને સાયબર ક્રાઇમ, સીસીટીવી નેટવર્ક, વિશ્વાસ, સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ વગેરે દ્વારા સાયબર ક્રાઇમ ના ગુનાઓ ના નિવારણ અને સંશોધનમાં ઝડપ આવી હોવાનો સ્વીકાર કર્યો હતો. 

ઉપરાંત તેમણે કહ્યું હતું કે રાજ્ય પોલીસ દળમાં નવી ભરતીમાં જે યુવાઓ આવ્યા છે. તે ટેકનો સેવી છે.ત્યારે તેમની સેવાઓ આ હેતુસર વ્યાપક લેવાય તે માટે પણ સૂચન કર્યું હતું. તો બીજી તરફ વિજય ભાઈ રૂપાણીએ સૂચના આપતાં જણાવ્યું હતું કે પોલીસ ની કડક છાપ જ એવી હોય કે ગુન્હેગાર અને અસામાજિક તત્વો માથું ઊંચકી જ ના શકે તેવી ઈમાનદારી અને કડકાઈ થી પેશ આવવા પોલીસ અધિકારીઓ ને સ્પષ્ટ સૂચના આપી હતી. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરો કોસ્મિપોલીટીન બનતા જાય છે ત્યારે એવા મહાનગરોમાં પણ ક્રાઇમ રેટ ના વધે તેની કાળજી લેવા તાકીદ કરી હતી.