સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં હાલ બિહાર પોલીસ અને મુંબઈ પોલીસ કાર્યવાહી કરી રહી છે. અચાનક આત્મહત્યાના સમાચારથી સુશાંતનો પરિવાર હજી આધાત માંથી બહાર આવ્યો નથી. હવે સુશાંતની બહેન ક્યારે પણ તેને રાખડી બાંધી શકશે નહિ. રક્ષાબંધન પર સુશાંતની બહેનએ દુખી થઇને ઇમોશનલ લેટર લખ્યો છે. 

આજે પાત્રીસ વર્ષ પછી રક્ષાબંધનના અવસર પર રાખડી તો છે પણ સુશાંતનો હાથ નથી જેના પર રાખડી બાંધી શકે. સુશાંતનું એ કાપડ નથી જેના પર તે ચાંદલો કરી શકે, એ ચહેરો નથી સુશાંતનો જેની તે આરતી ઉતારી શકે. આજે એ ભાઈ નથી જેને તે ગળે વળગી શકે. 

આ ઉપરાંત લખ્યું હતું કે, વર્ષો પહેલા જ્યારે સુશાંત આવ્યા ત્યારે જીવન તેજસ્વી હતું જીવનમાં પ્રકાશ હતો, પરંતુ હવે જ્યારે તમે નથી, તો મને શું કરવું તે ખબર નથી? ક્યારેય વિચાર્યું પણ ન હતું કે આવું થશે. આ દિવસ હશે પણ સુશાંત નહીં હોય.