વલસાડ, શ્રી નરનારાયણ દેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બિનઅનુદાનિત શાળા શ્રી સ્વામી નારાયણ સંસ્કારધામ, ખેરગામ-વેણ ફ. જિ.નવસારી ખાતે ચાલુ વર્ષે ધોરણ-૧૦ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને જણાવવામાં આવે છે કે, શ્રી સ્વામી નારાયણ સંસ્કારધામ શાળાની નોંધણી શિક્ષણ બોર્ડ દ્વારા કાયમી ધોરણે રદ કરવામાં આવી છે. ચાલુ વર્ષે આ શાળામાં ધોરણ-૧૦ માં અભ્યાસ કરતાં નિયિમિત તેમજ રીપીટર વિદ્યાર્થીઓના આવેદનપત્રો આ શાળામાંથી હવે ભરી શકાશે નહિ. ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓના બોર્ડના આવેદનપત્રો ભરવાની છેલ્લી તા.૦૫/૦૩/૨૦૨૧ હોઇ, તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓએ સત્વરે આ શાળા સાથે સંકલનમાં રહી અન્ય નજીકની શાળામાંથી આવેદનપત્રો ભરવાની કાર્યવાહી હાથ ધરવાની રહેશે. વિદ્યાર્થીઓના આવેદનપત્રો ભરવા અંગેની કોઇપણ પ્રકારની મુશ્કેલી પડે તો સમયમર્યાદામાં જિલ્લા શિક્ષાણાધિકારી કચેરી, નવસારીનો સંપર્ક કરવાનો રહેશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments