/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

કેન્દ્ર સરકાર ટેક્સના પૈસા મફતમાં વહેંચી શકે નહીં, અમને પણ મદદ જાેઈએ: કેજરીવાલ

દિલ્હી-

કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે દેશમાં વેપારીઓ પણ ખુબ ચિંતિત છે. કારોબારી ગતિવિધિઓ અટકી જવાની અસર દેશના ૮ કરોડ વેપારીઓ પર પડી છે. દિલ્હીમાં લોકડાઉનના પગલે હવે વેપારીઓ પણ ધૈર્ય ગુમાવી રહ્યા છે. ટ્રેડર્સે હવે કેજરીવાલ સરકાર પાસે મદદની માગણી કરી છે.

ઝ્રછૈં્‌ ના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ ખંડેલવાલે દિલ્હી સરકારના ૧૭ મે ૨૦૨૧ સુધી લોકડાઉન વધારવાનાના ર્નિણયને યોગ્ય દિશામાં લેવાયેલું પગલું ગણાવ્યું છે. પરંતુ ખંડેલવાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે માંગણી કરી છે કે જે પ્રકારે તેમણે અન્ય ક્ષેત્રો માટે નાણાકીય અને બીજી મદદની જાહેરાત કરી છે તે જ રીતે દિલ્હીના વેપારીઓને પણ નાણાકીય સહાયતા આપવી ખુબ જરૂરી છે.

ખંડેલવાલે કહ્યું કે દિલ્હીમાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી દુકાનો અને બજાર બંધ છે અને વેપારીઓને પૈસે ટકે કોઈ આવક નથી જ્યારે પરિવારની જરૂરિયાતો અને વેપારમાં કર્મચારીઓના વેતન, વીજળીના બિલ, પાણીના બિલ, સંપત્તિ કર, ઈએમઆઈ ચૂકવણી, કરજ પર વ્યાજ તરીકે વેપારીઓના ખર્ચા સતત ચાલુ છે. વેપારીઓ સરકાર માટે ટેકસ કલેક્ટર છે, આથી અમને સરકાર પાસે આવી નાણાકીય સુવિધાની માગણી કરવાનો અધિકાર છે. કરદાતાઓ પાસેથી પૈસા વસૂલીને તે પૈસા અન્ય લોકોને મફતમાં આપવા માટે કે તેમની મદદ કરવાના નામ પર ખર્ચ કરી શકાય નહીં આથી વેપારીઓને પણ તેમના હકની નાણાકીય મદદ અવશ્ય મળવી જાેઈએ.

રાજ્ય સરકારોએ કોવિડની આ બીજી લહેરની ઝડપને ઘટાડવા માટે કરફ્યૂ કે લોકડાઉન જેવા પ્રતિબંધો લગાવ્યા છે. કારોબાર નહીં થવાથી ૮ કરોડ વેપારીઓ પર તેની અસર પડી છે. જણાવ્યા મુજબ એપ્રિલ ૨૦૨૧ દરમિયાન કારોબારીઓને ૬.૨૫ લાખ કરોડ રૂપિયાના વેપારનું નુકસાન થયું છે. કેટનો દાવો છે કે તેણે ૮ કરોડ વેપારીઓનું પ્રતિનિધિત્વ કરનારા ૪૦ હજારથી વધુ સંગઠનો પાસેથી આ ડેટા મેળવ્યો છે. બીજી બાજુ કેટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને દેશવ્યાપી લોકડાઉન લગાવવાની માગણી કરી છે. ઝ્રછૈં્‌ એ રવિવારે પીએમ મોદીને લખેલા પત્રમાં કહ્યું છે કે કોરોના પર કાબૂ મેળવવા માટે જે પ્રકારે ગત વર્ષે કડક લોકડાઉન લગાવવામાં આવ્યું હતું એવું જ લોકડાઉન હવે લગાવવાની જરૂર છે. ઝ્રછૈં્‌ નું કહેવું છે કે તેઓ પીએમ મોદીની એ વાતનું સમર્થન કરે છે કે લોકડાઉન આખરી વિકલ્પ હોવો જાેઈએ પરંતુ લગભગ ૪ લાખ જેટલા કેસ રોજ આવે તે ચિંતાજનક વાત છે. દિલ્હી અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી લોકડાઉન છે, જેની અસર જાેવા મળી રહી છે. ત્યાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો નોંધાયો છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution