જયપુર-

કૉંગ્રેસ આજે સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા મુખ્યાલય પર પર્દર્શન કરશે. આ પ્રદર્શન આજે પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ ગોવિંદ ડોટાસરાએ કાલે ટ્વિટ કરી કહ્યું, 'ભાજપા દ્વારા રાજસ્થાનમાં લોકતંત્રની હત્યાના ષડયંત્રની વિરૂદ્ધ શનિવારના રોજ તમામ જિલ્લા મુખ્યાલયો પર કૉંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવશે.

રાજસ્થાનના રાજકારણમાં દિન-પ્રતિદિન રસપ્રદ વળાંક આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાનના રાજકારણ અંગે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય રજૂ કર્યો કે વિરોધ વ્યક્ત કરવો તે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો એક ભાગ છે. ત્યારબાદ રાજસ્થાન હાઈકોર્ટે સચિન પાયલટને મોટી રાહત આપી છે. એટલે કે સ્પીકર ઈચ્છતા હોવા છતાં પણ પાયલટ તથા તેમના 18 સાથી ધારાસભ્યો સામે કોઈ કાર્યવાહી ન કરી શકે.

આ તમામ ઘટનાક્રમ વચ્ચે રાજ્યપાલ એક અત્યંત મહત્વની ભૂમિકા સાથે ઉભરી આવ્યા છે. વિધાનસભાનું સત્ર બોલાવવા અંગે અશોક ગેહલોત અને રાજભવન વચ્ચે ટકરાવ શરૂ થઈ ગયો છે. ગેહલોત વિધાનસભા સત્ર બોલાવવાની માગ સાથે ધારાસભ્યોને લઈ રાજભવન પહોંચ્યા હતા. અહીં ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ધરણા કર્યા.