અમદાવાદ-
ગુજરાત સરકારે તાજેતરમાં અશાંતધારામાં નવા સુધારા કર્યા હતા. જેને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને દલીલોને અંતે ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. અશાંતધારાં કરાયેલો સુધારો બંધારણના સિદ્ધાંત અને અમુખની વિપરીત છે, તેમજ બે સમાજને બે વડામાં વિભાજીત કરતો હોય તેવા સુધારા છે. ધર્મ, જાતિ અને વંશના નામે વિભાજીત કરે છે. જેને પગલે આ નવા સુધારાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઈકોર્ટમાં અશાંતધારામાં નવા સુધારા કરાયા તે અનુસાર કેટલાક મુદ્દા ઉઠાવ્યા હતા. જે મુજબ એક સ્થળે એક સમુદાયના લોકો જ વસી શકે છે. હિન્દુ, જૈન અને મુસ્લિમ એક સાથે રહી શકે નહી. જે તે ધર્મના સ્થાનક પાસે તે ધર્મના લોકો જ રહે તેવી વાત કરે છે. આવા પ્રકારના વિભાજન કરતા નવા સુધારા સ્વીકારી શકાય નહી. એવી દલીલ સાથે ગુજરાત હાઈકોર્ટે અશાંતધારામાં કરેલા નવા સુધારાના અમલ સામે સ્ટે આપ્યો છે. ગુજરાતમાં અમલી થયેલ અશાંતધારામાં થયેલા નવા સુધારાના અમલ સામે ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. ભાજપ સરકારે કરેલા નવા સુધારા બંધારણના સિદ્ધાંત વિરુદ્ધ છે અને બે સમુદાયને વિભાજીત કરનાર છે. જે આક્ષેપ સાથે આ નવા સુધારાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારાયો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments