ધનસુરા : ધનસુરા તાલુકાના આકરૂન્દ ગામની કેનાલ નજીક બાઈકસવારો દ્વારા પતિ પત્ની પર હુમલાની ઘટના બની હતી. હુમલામાં ઘાયલ પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. હુમલા અંગે પતિએ ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં પતિએ જ પત્નીની હત્યા માટે અમદાવાદના એક સોપારીબાજને સોપારી આપવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા એલસીબી અને ધનસુરા પોલીસની સંયુક્ત ટીમે આ કેસમાં પતિ અને અમદાવાદના સોપારીબાજની ધરપકડ કરી હતી. આકરૂન્દ ગામની સીમમાં પતિ -પત્ની બાઈક લઈને ઉભા રહ્યા હતા.દરમિયાનમાં અજાણ્યા શખ્સે મહિલા પર તિક્ષણ હથિયારથી હુમલો કર્યો હતો. જેમાં મહિલાના પતિની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પતિ જ આરોપી નીકળ્યો હતો. પોલીસે મહિલાના પતિ વિજયગીરી ગોસ્વામી અને સોપારીબાજ વિનોદભાઈ લુહારને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી હુમલાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. જ્યારે આ કેસમાં હજું બે આરોપીઓ પોલીસ પકડથી દૂર રહ્યા છે.