પુણે
ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામેની ત્રણ વનડે સિરીઝ માટે અહીં પહોંચી હતી જેની પહેલી મેચ મંગળવારે રમાશે. ઈંગ્લેન્ડના ભારત પ્રવાસની આ છેલ્લી શ્રેણી હશે. ચેન્નાઈ અને અમદાવાદમાં ચાર ટેસ્ટ મેચની શ્રેણી ૩-૧થી જીત્યા બાદ ભારતે શનિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પાંચ મેચની ટી-૨૦ શ્રેણી ૩-૨થી જીતી લીધી હતી. જાણવા મળ્યું છે કે કેપ્ટન વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમ સાંજે ૪.૪૫ વાગ્યે અમદાવાદથી ચાર્ટર્ડ ફ્લાઇટમાં આવી હતી. ગહુંજેના એમસીએ સ્ટેડિયમ ખાતે ૨૩, ૨૬ અને ૨૮ માર્ચે ત્રણ વનડે મેચ દર્શકો વગર રમાશે. કોહલી સિવાય ભારતીય ટીમમાં રોહિત શર્મા, શિખર ધવન, શુબમન ગિલ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રિષભ પંત અને ભુવનેશ્વર કુમાર શામેલ છે.
Loading ...