દિલ્હી-

ન્યુઝીલેન્ડ ના વિકેટકિપર બેટ્‌સમેન બીજે વાટલીંગએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ થી સંન્યાસ લેવાનુ એલાન કર્યુ છે. તે ઇંગ્લેંડ પ્રવાસ બાદ સન્યાસ લઇ લેશે. ભારત સામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ બાદ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ થી સંન્યાસ લેશે. ઇંગ્લેંડ પ્રવાસ દરમ્યાન ન્યુઝીલેન્ડની ટીમ એ ઇંગ્લેંડ સામે બે ટેસ્ટ મેચ રમવાની છે. જેના બાદ ૧૮ જૂન થી શરુ થતી ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ રમશે.

બીજે વાટલીંગ આ સાથે જ ન્યુઝીલેન્ડ તરફ થી સૌથી વધારે ટેસ્ટ મેચ રમનારો વિકેટકીપર બની જશે. આ પહેલા આ રેકોર્ડ એડમ પારોરના નામે હતો. વાટલીંગ એ સંન્યાસ લેતા એલાન કરતા કહ્યું, ન્યુઝીલેન્ડ તરફ થી ક્રિકેટ રમવુ ખાસ કરીને ટેસ્ટ બેગીમાં ઉતરવુ મારા માટે સન્માનની વાત છે. ટેસ્ટ ક્રિકેટ ખરેખર જ રમતનો સૌથી મહત્વનો હિસ્સો રહ્યો છે.

ટીમની સાથે સફેદ કપડામાં મેદાનમાં ઉતરવુ દરેક પળે મારા માટે ખૂબ જ ખાસ રહ્યુ છે. પાંચ દિવસ બાદ ટીમની સાથે સિટીંગ રૂમમાં બેસીને એન્જાેય કરવાને હું ખૂબ મિસ કરીશ. મે કેટલાક મહાન ખેલાડીઓ સાથે ક્રિકેટ રમી અને ખૂબ સારા મિત્રો બનાવ્યા. મને અનેક ખેલાડીઓની મદદ પણ ખૂબ મળી જેના માટે તેમનો આભાર માનુ છુ. વાટલીંગએ પોતાના કેરિયરમાં અત્યાર સુધીમાં ૨૪૯ કેચ ઝડપ્યા છે. જેમાં ૧૦ કેચ ફિલ્ડર તરિકે ઝડપ્યા હતા. તેમના નામે ૮ સ્ટંપિગ છે. ૩૫ વર્ષીય વાટલીંગએ વર્ષ ૨૦૧૯માં ઇંગ્લેંડ સામે ઓવલમાં શાનદાર બેવડી સદી ફટકારી હતી. ૨૦૦૯માં ટેસ્ટ ડેબ્યૂ કરનારા વાટલીંગ એ ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીમાં ૩૮.૧૧ ની સરેરાશ થી ૩૭૭૩ રન બનાવ્યા છે. જેમાં આઠ શતક અને ૧૯ ફીફટી સામેલ છે. તેણે ન્યુઝીલેન્ડ તરફ થી ૫ ્‌૨૦ અને ૨૮ વન ડે મેચ પણ રમી છે.