સુરત-

સુરત શહેર સહિત જીલ્લામાં ફરીથી કોરોના વાયરસનો કહેર વધી રહ્ના છે.છેલ્લા બે દિવસથી કોરોના વાયરસનો આંકડો વધવાને કારણે તંત્રમાં ચિંતા જાવા મળી હતી. તે દરમ્યાન શુક્રવારે સુરતમાં ૧૧૦ કેસ નોદ્વધાયા છે. આ સાથે શહેર-જીલ્લામાં કુલ પોઝિટિવની સંખ્યા ૨૧,૮૭૨ પર પહોદ્વચી છે. કોરોનાને કારણે એકનું મોત થતાં કુલ મૃતાંક ૮૩૧ થયો છે. કોરોનાને મ્હાત આપી અત્યાર સુધીમાં ૧૮,૨૬૬ લોકો ઘરે પરત ફર્યા છે. હાલ સિવીલ અને સ્મિમેર હોસ્પિટલમાં ૨૫૨ દર્દીઓ સારવાર લઇ રહ્ના છે. જયારે સિવીલ , સ્મિમેર સહિત અન્ય હોસ્પિટલોમાં ૭૬૧ એકટીવ કેસો છે. સુરત શહેર અને જીલ્લામાં કોરોના વાયરસના કેસોમાં ફરીથી ઉછાળો નોદ્વધાયો છે.તંત્ર દ્વારા કોરોના વાયરસના કેસો કંઇ રીતે ઓછા થાય તે માટે તમામ તકેદારીના પગલા લેવાયા હોવા છતાં કેસોમાં વધારો નોદ્વધાતા તંત્રમાં પણ ચિંતા દેખાઇ રહી છે.

ખાસ કરીને શહેરના કતારગામ , અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા ઓછી થવાના બદલે વધી રહી છે. તે માટે પાલિકાએ ફરીથી એકશનમાં આવી અનેક પગલાઓ લેવા માંડ્યા છે. તે દરમ્યાન શુક્રવારે બપોર સુધી સુરત શહેરમાં ૭૦ કેસ નોદ્વધાયા છે. આ સાથે શહેરમાં ૧૭,૦૬૪ કેસો નોદ્વધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં કેસોની સંખ્યામાં વધારો નોદ્વધાતા જીલ્લા આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ છે. બપોર સુધી ૪૦ કેસ નોદ્વધાયા છે. આ સાથે જીલ્લામાં પણ કોરોનાનો પોઝીટીવ આંક ૪,૮૦૮ કેસો નોદ્વધાયા છે. આમ સુરતમાં અત્યાર સુધી કુલ પોઝીટીવ આંક ૨૧,૮૭૨ પર પહોદ્વચ્યો છે. જયારે એકનું મોત નિપજતા અત્યાર સુધી ૯૩૧ ના મોત નિપજયા છે.

આ ઉપરાંત કોરોનાને મ્હાત આપી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્ના છે. અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ૧૮,૨૬૬ દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. આમ રીકવરી રેટ લગભગ ૮૪ થી ૮૫ ટકા થયો છે. નવા નોદ્વધાયેલા કેસોમાં સરકારી કર્મચારીઓ, કાપડના વેપારી સહિત ટેક્ષટાઈલ સાથે સંકળાયેલા કર્મચારીઓ, રત્નકલાકાર તેમજ અન્ય ધંધા વ્યવસાઈઓ સહિત અનેકના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આમ કોરોનાની સારવાર લઇ રહેલા ૭૬૧ દર્દીઓ એકટીવ છે. જયારે સિવીલમાં ૧૪૮ અને સ્મિમેરમાં ૧૦૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જેથી લગભગ ૮૦ ટકા બેડો બંને હોસ્પિટલોમાં ખાલી જાવા મળી રહ્ના છે.