ગાંધીનગર-

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ધ્વજવંદન કર્યા બાદ ગુજરાતની ગાથાની વાત કરતા ગુજરાત સરકાર દ્વારા વિવિધ જિલ્લામાં અમુક વર્ષોથી જે પ્રોજેક્ટને મહત્વની જાહેરાતોને વાગોળી હતી. આ સાથે જ રાજ્યના ખેડૂતો માટે રાજ્ય સરકારે કરેલા મહત્વના નિર્ણયો જેવા કે, દિવસે વીજળી સિંચાઇ માટેનું પાણી, વન બંધુઓ માટે પોતાની જમીન તથા કોરોના કાળ દરમિયાન વેપાર રોજગાર ફરીથી ઉભા કરવા માટે 14000 કરોડની આર્થિક સહાય, જેવા રાજ્ય સરકારના મહત્વના નિર્ણયને પ્રજાલક્ષી નિર્ણય અને પ્રજા માટે નિર્ણય કહીને સંબોધન કર્યું હતું. આ ઉપરાંત લોકડાઉન દરમિયાન 15 લાખથી વધુ પરપ્રાંતીયોને પોતાના પરિવારજનોને મળવા માટે રાજ્ય સરકાર દ્વારા જે સુવિધા ઊભી કરવામાં આવી હતી. આ અંગે પણ સંબોધન કર્યું હતું. 

આ ઉપરાંત ગુજરાતમાં કોરોનાનું સંકટ છે, ત્યારે કોરોના કાળથી શરૂઆતના દિવસોથી મેડિકલ સ્ટાફ અને હોસ્પિટલમાં કાર્યરત લોકોએ કોરોના કાળ દરમિયાન દેશ સેવા અને પોતાની ફરજ નિભાવી છે, તેવા કોરોના વોરિયર્સને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સન્માન કર્યું હતું. કાબો શાખા વિશિષ્ટ સન્માન સાથે તેઓને સન્માન પત્ર પણ રાજ્ય સરકાર દ્વારા એનાયત કરવામાં આવ્યું છે.