ગાંધીનગર-

નાતાલની ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા નાતાલની ઉજવણી અને 31મી ડિસેમ્બરની ઉજવણી માટે ખાસ SOP જાહેર કરી છે. જેમાં સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર રાજ્ય સરકારે એક એસ.ઓ.પી બહાર પાડી છે. જેનું ચુસ્તપણે અમલ કરવામાં આવશે, જેમાં ચર્ચ અથવા પ્રાર્થના સ્થળોએ પણ જગ્યાની ક્ષમતાના 50 ટકા અથવા 200 વ્યક્તિઓ બેમાંથી જે ઓછું હોય એટલી સંખ્યામાં વ્યક્તિઓ હાજર રહી શકશે.સરકારે જાહેર કરેલી એસ.ઓ.પીમાં તહેવારોની ઉજવણી દરમિયાન કે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન જાહેરમાં કોઇ સભા પ્રાર્થના કે વિકેટ શોભાયાત્રાનું આયોજન કરી શકાશે નહીં. આ ઉપરાંત સંક્રમણને રોકવા માટે નાગરિકોએ આપેલા સહયોગ આગામી સમયમાં પણ મળે તે બાબતે પણ રાજ્ય સરકારે જાહેરાત કરી છે.

નાતાલ તહેવાર દરમિયાન રાજ્ય સરકારે બહાર પાડેલી એસ.ઓ.પીમાં તમામ નાગરિકોએ સામાજિક અંતર અને માસ્ક પહેરવા ફરજિયાત કરવામાં આવ્યું છે અને જો માસ્ક પહેર્યા વગર પોલીસ પકડશે તો સરકારના જણાવ્યા પ્રમાણે એક હજાર રૂપિયાનો દંડ પણ ભોગવવાનો વારો આવી શકે છે. આમ, તહેવારોના દિવસો દરમિયાન પણ સામાજિક અને માસ્ક કોરોના સંક્રમણથી બચવા માટે રાજ્ય સરકારે ફરજિયાત કર્યું છે.સમગ્ર દેશ સહિત રાજ્યમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે 31 ડિસેમ્બરને હવે ગણતરીના જ દિવસો બાકી હોવાથી નાતાલ પર્વને ધ્યાને રાખીને રાજય સરકાર દ્વારા એસ.ઓ.પી બહાર પાડવામાં આવી છે. જેમાં સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર રાજ્ય સરકાર દ્વારા એક એસ.ઓ.પી જાહેર કરવામાં આવી છે.