થોડા દિવસો પહેલા અનલોક-1ની સ્થિતિમાં ધાર્મિક સ્થળો ખુલ્લા મુકાયા હતા અને હાલની પરિસ્થતિને જોતા કોરોના વાયરસના સંક્રામણનો ઉથલો વધતો જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સીન્ગનું પણ પાલન થઈ રહ્યું નથી તેવામાં ચરોતરમાં આણંદ જિલ્લા આવેલું ડાકોર નું`રાજા રણછોડનું મંદિર એકાએક સંક્રમણને કારણે બંધ કરવામાં આવી રહ્યું છે.

તા.20 જુલાઈથી ડાકોરના મંદિરના કપાટ સદંતર બંધ કરવામાં આવી રહ્યા છે.જ્યાં સુધી મહામારીનો દૌર ઓછો નહિ થાય ત્યાં સુધી મંદિર બંધ રાખવામાં આવશે તેવી મંદિરના ટ્રસ્ટ દ્વારા જણાવામાં આવ્યું છે