વડોદરા : વાઘોડિયા ખાતે આવેલ અને વિવાદોમાં ઘેરાયેલી રહેતી પારુલ યુનિવર્સિટી નો આજે વધુ એક વિદ્યાર્થીએ આપઘાત કરી લેવાનો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ વિદ્યાર્થી ત્રીજા વર્ષના કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ વિદ્યાર્થી વાઘોડિયા રોડ પર આવેલ પ્રભાત ચાર રસ્તા પાસેની આલોક સોસાયટી માં ભાડાના મકાનમાં ત્રણ દિવસ પહેલા જ રહેવા માટે આવ્યો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે .કયા કારણોસર આ વિદ્યાર્થી આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. એ પોલીસને તપાસનો વિષય છે. ચકચારી બનાવની પ્રાપ્ત વિગત મુજબ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાણીપોળ ગામે રહેતો યશકુમાર ઈશ્વરલાલ પટેલ ઉંમર વર્ષ ૨૦ પારુલ યુનિવર્સિટી માં કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. તે પારુલ યુનિવર્સિટીમાં એડમિશન લીધા બાદ પ્રથમ કારેલીબાગ વિસ્તારની એક સોસાયટીના ભાડાના મકાનમાં રહેતો હતો. તે બાદ તેને વાઘોડિયા રોડ ઉપર આવેલ પ્રભાત સોસાયટી પાસે ની આલોક સોસાયટીમાં મકાન ભાડે રાખ્યું હતું. અને ત્રણ દિવસ અગાઉ જ આ નવા ભાડાના મકાનમાં રહેવા માટે આવ્યો હતો. તે દરમિયાન વિદ્યાર્થી યશકુમાર પટેલે રહસ્યમય સંજાેગોમાં આજે ભાડાના મકાનના સ્ટોર રૂમમાં નાયલોનની દોરી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાતના બનાવની જાણ મકાનમાલિકને થતા તેઓએ પાણીગેટ પોલીસ ને આ બનાવની જાણ કરી હતી. તદુપરાંત આ બનાવની જાણ સોસાયટીના રહીશોને થતા સોસાયટીના રહીશો એકત્રિત થયા હતા. પોલીસ ઘટના સ્થળે આવી પહોંચ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને બનાવની વિગતો મેળવવા માટેની તજવીજ હાથ ધરી હતી. જાેકે પોલીસે આ બનાવ સંદર્ભે તેની રૂમ અને આપઘાતના સ્ટોર રૂમ માં તપાસ કરતા કોઈ વાંધાજનક ચિઠ્ઠી કે વસ્તુ મળી આવી ન હતી તે બાદ કાયદેસરની કાર્યવાહી કરી યસ પટેલના મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અને સાથે સાથે તેના વાલીને પણ આ બનાવ અંગેની જાણ કરવામાં આવી હતી. જાેકે પ્રાથમિક તપાસમાં પોલીસને પ્રેમ પ્રકરણ હોવાની શંકા વ્યક્ત કરી છે. વિદ્યાર્થીના વાલી હિંમતનગર થી અત્રે આવવા નીકળી ગયા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.