હાલોલ, તા.૨૯  

હાલોલ શહેરના કંજરી રોડ પર આવેલ રામદેવપીરના મંદિરની બાજુમાં આવેલ જરજરીત મકાનના બાથરૂમની દીવાલ પડતા ત્યાં નોકરી કરતી મહિલા તેના કાટમાલ તળે દબાઈ ગયેલ હતી. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી મહિલાના મૃતદેહનું પીએમ કરાવી તેને તેના વાલી વારસને સોંપવામાં આવેલ હતો. હાલોલ શહેરના કંજરી રોડ પર આવેલ રામદેવપીરના મંદિરની બાજુમાં આવેલ એક જરજરીત મકાનમાં કપડા ધોવાનું કારખાનુ ચાલતુ હતું, ત્યારે મકાનના બાથરૂમની દીવાલ ધરાશયી થતાં ત્યાં નોકરી કરતા નયનાબેન ઈન્દ્રવદનભાઈ ઠાકોર (૩૦) રહે દેસાઈ ફળીયા હાલોલ ઈસ્ત્રી કરવાના કપડા બાંધી રહ્યા હતા, તેઓ કાટમાલમાં ડબાઈ ગયા હતા, જે અંગેની જાણ તેમના પતી ને થતાં તેઓ ત્યાં પહોંચી ગયા હતા ને આસ પાસના લોકોની મદદ થી કાટમાલ નીચેથી નયનાબેનને બહાર કાઢ્યા હતા, તેઓને ગંભીર ઈજાઓ જણાતા ખાનગી વાહનમાં હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. હાલોલ પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી મહિલા ના મૃતદેહને પીએમ કરાવી તેમના વાલી વારસને સોંપવામાં આવ્યો હતો.