અંક્લેશ્વર

અંકલેશ્વર તાલુકા ના નવા કાંસીયા ગામ ના ત્રણ યુવાનો નર્મદા નદી ના ધસમસતા પાણી માં ન્હાવા જતા ડૂબ્યા હતા, ત્રણ પૈકી બે યુવકો ના મોત નિપજ્યા હતા, જ્યારે એક નો બચાવ થયો હતો, અને નદી ના ઉંડા પાણીમાં મોતને ભેટેલા બે પૈકી એક નો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે અન્ય એકની શોધખોળ તરવૈયા કરી રહ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકા ના નવા કાંસીયા ગામ ખાતે રહેતા કલ્પેશ કિશનભાઇ વસાવા ઉ.વ. ૨૦, સુરેશ અરવિંદભાઈ વસાવા ઉ.વ.૨૨ અને રિંકેશ વસાવા ત્રણેય મિત્રો ગોલ્ડનબ્રિજ ના દક્ષિણ છેડે નર્મદા નદી માં ન્હાવા માટે પડ્યા હતા, અને નદી ના ધસમસતા પાણીમાં કલ્પેશ વસાવા અને સુરેશ વસાવા તણાયા હતા, જ્યારે રિંકેશ વસાવા નો બચાવ થયો હતો.

ઘટના અંગેની જાણ સ્થાનિક લોકો ને થતા લોક ટોળા ઉમટી પડ્યા હતા, જ્યારે સ્થાનિક તરવૈયા ઓ એ નદી ના પાણી માંથી કલ્પેશ વસાવા નો મૃતદેહ શોધી કાઢી બહાર કાઢ્યો હતો.આ ઉપરાંત અંકલેશ્વર નગરપાલિકા ના ફાયર સ્ટેશન ના લાશ્કરો અને શહેર પોલીસ દ્વારા નદી ના પાણી માં લાપતા બનેલા સુરેશ વસાવા ના મૃતદેહ ની શોધખોળ કરવામાં આવી રહી છે.અંકલેશ્વર શહેર પોલીસ ઘટના અંગે તપાસ શરુ કરી હતી.નદી ના ઉંડા પાણીમાં મોતને ભેટેલા બે પૈકી એક નો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે અન્ય એકની શોધખોળ તરવૈયા કરી રહ્યા છે.ઘટના અંગેની જાણ સ્થાનિક લોકો ને થતા લોક ટોળા ઉમટી પડ્યા હતા.