ભરૂચ
ઝઘડિયા જીઆઇડીસીના ગત રોજ રાત્રીના ૧ઃ૩૦ વાગ્યાના અરસામાં યુપીએલ કંપનીના સીએમ પ્લાન્ટમાં એક ભયંકર વિસ્ફોટ થતાં બેનાં મોત થયા હતા. જાણવા મળતી માહિતી પ્રમાણે વિસ્ફોટમાં ત્રણ માળના લોખંડના સ્ટ્રક્ચરના પ્લાન્ટમાં ભોયતળીયે વિસ્ફોટ થતાં આખો પ્લાન્ટ કકડભૂસ થયો હતો. વિસ્ફોટ સમયે કંપનીમાં કંપનીના એમ્પ્લોય તથા કોન્ટ્રાક્ટના એમ્પ્લોય કામ કરતા હતા, જેનો ચોક્કસ આંકડો જાણી શકાયું નથી જિલ્લામાં ઠેર ઠેર શહેરોમાં તથા ગામડાઓમાં ધ્રુજારા કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા અને ભૂકંપ આવ્યો હોય તેવું વાયુ વેગે પ્રસરી રહ્યું હતું, પરંતુ આ ધ્રુજારો ઝઘડીયા જીઆઇડીસીની યુપીએલ કંપની માં થયેલા વિસ્ફોટનો હતો. જે પરિવારજનોના પુત્રો કંપનીની નાઈટ શિફ્ટમાં કામ કરતા હતા તેમના પરિવારજનો વહેલી સવારે જ કંપની ખાતે ધસી આવ્યા હતા પરંતુ કંપની સંચાલકો દ્વારા તેમને કોઈ આશ્વાસન કે એમ્પ્લોય બાબતે માહિતી આપવામાં આવી ન હતી. જેનો આક્રોશ કંપની સંકુલ ખાતે જાેવા મળ્યો હતો. યુપીએલ કંપનીમાં વિસ્ફોટની જાણ દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દુર્ઘટના વાળા પ્લાન્ટની મુલાકાત લઇ કંપની સંચાલકો પાસે માહિતી મેળવી હતી.
ધારાસભ્યને કંપની સંચાલકો એ આપેલી માહિતી મુજબ દુર્ઘટના સમયે સીએમ પ્લાન્ટમાં ૩૨ જેટલા કોન્ટ્રાક્ટના તથા કંપનીના એમ્પ્લોય ફરજ પર હતા, તે પૈકી સાત જેટલા એમ્પ્લોઈ આ લખાય છે ત્યાં સુધી હજી પણ લાપતા હોવાનું કંપનીના સંચાલકોએ જણાવ્યું હતું અને બાકીના બીજા એમ્પ્લોઈને ભરૂચ-અંકલેશ્વર તથા વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું. ભારે વિસ્ફોટના પગલે સ્થાનિકોનો આક્રોશ આસમાને હતો જેથી ઝઘડિયા પોલીસ દ્વારા મોટો પોલીસ કાફલો યુપીએલ કંપની ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. કંપની એમ્પ્લોય ના પરિવારજનોએ જણાવ્યું હતું કે આ પ્લાન્ટમાં અનેક વખત ગેસ ગળતરની સમસ્યા ઉદભવે છે અને સુરક્ષાના કોઈપણ સાધનો પુરતા રાખવામાં નહીં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટના પગલે કંપની નો આખો લોખંડના પ્લાન્ટ ધરાશાયી થતા તેમાં કેટલાંક એમ્પ્લોય દબાયા હતા જે પૈકી કંપનીના એમ્પ્લોય (૧) વનરાજ સિંહ ડોડીયા રહેવાસી શુકલતીર્થ તાલુકો ભરૂચ (૨) નેહલ મહેતા રહેવાસી અવિધા તાલુકો ઝઘડિયા ના મૃતદેહો કાટમાળ નીચેથી મળી આવ્યા હતા બંને મૃતદેહનેપોસ્ટમોર્ટમ અર્થે લઈ જવાયા છે હજી સુધી કંપની સંચાલકો દ્વારા વિસ્ફોટ થવાનું કારણ
જાણી શકાયુ નથી.
વિસ્ફોટમાં મોત થયાનો અમે સ્વીકાર કરીએ છીએઃયુપીએલના પ્રવક્તા
દુર્ભાગ્યવશ, ગુજરાતમાં અમારા જગડિયા યુનિટમાં આજે વહેલી સવારે શટડાઉન હાલતમાં આવેલા પ્લાન્ટમાં ગંભીર આગ લાગી હતી જેમાં બેનાં મોત થયાનું કંપની સ્વીકારે છે. અમારી ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ અને સ્થાનિક ફાયર બ્રિગેડે આગને કાબૂમાં કરી લીધી છે. ૨૧ લોકોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર મળી હતી અને ૧૩ લોકોને પહેલાથી જ નાની સારવારથી રજા આપવામાં આવી છે. અમે સમયસર સહાયતા માટે સ્થાનિક વહીવટ, પડોશી ઉદ્યોગો અને ફાયર બ્રિગેડનો આભાર માનીએ છીએ.
મળી આવેલ મૃતદેહ
• વનરાજસિહ ડોડીયા
• નેહલ મહેતા
ઇજાગ્રસ્તોની યાદી
(૧) મંગેશ રાઠોડ (૨) નાગમણી સિંહ
(૩) રોશન કુમાર (૪) બાલવીર પાટીદાર
(૫) કૈલાશ પાટીલ (૬) દિપક ઠાકોર
(૭) રજનીશ (૮)અશોક શિવાકી
(૯) સ્મિત પાટીલ (૧૦) માંગીલાલ યાદવ
(૧૧) હિતેશ (૧૨) હાર્દિક પટેલ
(૧૩) ગીતાંશ પટેલ (૧૪) સુરેન્દ્ર પ્રતાપ
(૧૫) તેજસ બોરસે (૧૬) કુણાલ
(૧૭) પ્રદીપસિંહ (૧૮) હિતેશ પટેલ
(૧૯) નિલેશ બ્રિડ (૨૦) ભરત
ખોવાયેલ વ્યક્તિ
• કેતનકુમાર ગેવરીયા
• કુવરલાલ કોમલ કાસડેકર
• મણિરામ સંતુલાલ ધિકરે
• કમલ લક્ષ્મણ પાનસે
• કુણાલ પટે
Comments