સુરત-
દેશભરના હિન્દુઓની આસ્થાના પ્રતિક સમા અયોધ્યા રામ જન્મ ભૂમિ ખાતે ભવ્ય મંદિરના નિર્માણનું ભૂમિ પૂજન 5 ઓગસ્ટના રોજન થનાર છે. આ અગાઉ દેશભરમાંથી માટી અને પવિત્ર નદીઓના જળ મોકલવામાં આવી રહ્યાં છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરમાં જ્યાંથી રામ મંદિર માટે આંદોલનની શરૂઆત થઈ હતી તે માનગઢ ચોક મિની હીરા બજાર સરદાર ચોક ખાતે તાપી નદીના જળનું પૂજન અને માટીની પૂજા કરવામાં આવી હતી. વિધી પૂર્વક આ માટી અને જળ અયોધ્યા મોકલવામાં આવ્યાં છે.
રામ મંદિર બનવાના તમામ માર્ગ ખુલી ગયા છે. રામ જન્મભૂમિ શિલા પૂજન થઈ રહ્યુ છે ત્યારે દેશભરમાંથી પવિત્ર નદીઓના જળ અને માટીના કળશ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ મોકલી રહ્યુ છે. મીડિયા સેલના પ્રવિણ ભાલાળાએ જણાવ્યું હતું કે, 1989 અને 1992 માં વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળના કાર્યકરોએ કારસેવામા ભાગ લીધો હતો. ભગવાન રામનું ભવ્ય મંદિર બને તે માટે અસંખ્ય કાર્યકર્તાઓએ પોતાના ઘર પણ છોડી દીધા હતાં.આ તમામ કાર્યકર્તાના મનમાં આજે ખુબ આનંદ છે. તેમના સ્વપ્ન સાકાર થયા હોય તેવી લાગણી અનુભવી રહ્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments