નવી દિલ્હી,તા૨૮

હોકી ઈન્ડિયાએ ભૂતપૂર્વ સીઈઓ એલેના નોર્મનના જૂથવાદ અને આંતરિક મતભેદોના આરોપોને ફગાવી દીધા છે. ફેડરેશનના પ્રમુખ દિલીપ તિર્કી અને જનરલ સેક્રેટરી ભોલાનાથ સિંહે બુધવારે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું - ‘અમે હોકીની સુધારણા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.’હોકી ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં, પ્રમુખ અને મહાસચિવે કહ્યું- ‘તાજેતરમાં કેટલાક આઉટગોઇંગ અધિકારીઓએ મીડિયામાં કહ્યું છે કે હોકી ઈન્ડિયામાં જૂથવાદ છે. આ યોગ્ય નથી.’દ્ભૈં ઈન્ડિયા એ ભારતીય હોકીના વિકાસ માટે રચાયેલ એક સ્વાયત્ત અને વ્યાવસાયિક સંસ્થા છે. અમારો ધ્યેય હોકી અને અમારા ખેલાડીઓની સુધારણા અને પ્રગતિ છે. વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે અમારી રાષ્ટ્રીય ટીમોને તમામ પ્રકારનો ટેકો આપવામાં આવે છે.ફેડરેશને દરેક ખેલાડી અને ટીમ સાથે સમાનતા જાળવી રાખી છે. તમામને સમાન સુવિધાઓ અને લાભો આપવામાં આવ્યા હતા, જેમાં રોકડ પુરસ્કાર અને માન્યતાનો સમાવેશ થાય છે. અમે પાયાના સ્તરથી લઈને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ સમાનતામાં માનીએ છીએ.અમે મહિલા ટીમને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં મદદ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરીશું. આ સાથે, અમે પેરિસ ઓલિમ્પિકમાં ફરી એકવાર મેડલ જીતવા માટે પુરૂષ ટીમને તમામ સંભવિત સુવિધાઓ પૂરી પાડીશું.અમને અમારી ટીમો અને અમારા ખેલાડીઓ માટે હોકી ચાહકોના સતત સમર્થનની જરૂર છે. હાલ પૂરતું ધ્યાન ઓલિમ્પિક ગેમ્સ પર કેન્દ્રિત કરવું જાેઈએ.એક દિવસ પહેલા હોકી ઈન્ડિયાના સીઈઓ નોર્મને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.