ભુજ-

ભચાઉ વાગડ વેલ્ફેરની નજીક ક્રેટા કાર ઊભેલા ટ્રેઇલરમાં અથડાતાં જ કારમાં સવાર ગાંધીધામ લોહાણા સમાજનાં પૂર્વ પ્રમુખ તેમજ PM આંગડીયાનાં પરિવારનાં કુલ 3 સભ્યોનાં તો ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હોવાની ઘટનાએ હોબાળો ફેલાવી દીધો છે.

મળતી માહિતી મુજબ ગાંધીધામમાં આવેલ શક્તિનગરમાં રહેતાં તથા PM આંગડીયાનાં તથા થરપારકર લોહાણા ચોવીસી મહાજનનાં પ્રમુખ તથા ગાંધીધામ લોહાણા સમાજનાં પૂર્વ પ્રમુખ અમૃતલાલ કુંવરજીભાઇ હાલાણી કે જેમની ઉંમર હાલમાં કુલ 65 વર્ષ તેમજ ભુદરજી કુંવરજીભાઇ હાલાણી કે જેમની ઉંમર કુલ 66 વર્ષ, એમના પત્ની પાર્વતીબેન ભુદરતી હાલાણી કે જેમની ઉંમર હાલમાં 60 વર્ષની છે.

તેઓ પોતાની કારને લઇ ડીસા ખાતે આવેલ વેવાઇને ત્યાં લૌકિક વ્યવહારની માટે ગયા હતાં તેમજ ત્યાંથી ગાંધીધામ પાછાં ફરતી વખતે ભચાઉ વાગડ વેલ્ફેર હોસ્પિટલની સામેનાં બ્રીજની પાસે રાત્રે ઊભેલ ટ્રેઇલરની પાછળ કાર અથડાઇ ગઈ હતી. જેમાં કારમાં સવાર કુલ 3 લોકોને ગંભીર ઇજાઓ થવાને લીધે ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતાં. 

આ અકસ્માત સર્જાતાંની સાથે જ પોલીસ ભચાઉ નગરપાલિકા તથા ભચાઉ લોહાણા સમાજનાં આગેવાનો પણ ભરતભાઇ ટક્કરની સાથે ઘટનાસ્થળ પર જ પહોંચી ગયા હતાં. આ અકસ્માતમાં કારમાંથી કુલ 3 લોકોનાં મૃતદેહ પણ કલાકોની મહેનત પછી કાઢી શક્યા હતાં.