જલગાંવ-

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના યવલ તાલુકામાં આવેલા કીનગાંવ ખાતે મજૂરોને લઈને જતી એક ટ્રક પલટી ખાઈ જતાં 15 મજૂરોનાં મોત થયા છે જ્યારે અન્ય બે ને ગંભીર ઈજાઓ થઈ છે. માર્યા ગયેલા કમનસીબોમાં 7 પુરુષ, 6 મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે. બનાવમાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળ પર જઈને ટ્રકચાલકની ધરપકડ કરી લીધી છે. 

આ પૈકીના મોટા ભાગના મજૂરો ઓભોદા, કેરહાલા અને રાવેરના હતા. મજૂરો જેમાં બેઠા હતા એ ટ્રક પપૈયાથી ભરેલી હતી અને કીનગાંવ મંદિર પાસે મોડી રાત્રે આ ટ્રક પલટી ખાઈ જતાં દટાઈ જવાથી તેમનું મોત થયું હતું. પાંચ મજૂરોને ગંભીર ઈજાઓ થઈ છે, અને તેમને નજીકના ગામની એક હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.