દેવગઢબારિયા/ ઝાલોદ

દાહોદ તાલુકાના નાની સારસી ગામે એક અજાણ્યા યુવાનની બોથડ પદાર્થ માથાના પાછળના ભાગે તથા ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોત નીપજાવી પુરાવાનો નાશ કરવાના લાશને સળગાવવાનો પ્રયત્ન કરતા અડધી બળેલી લાશ મંગળવારના રોજ સવારે મળી આવી છે.

તાલુકા પોલીસે તપાસ હાથ ધરી મૃત યુવાનની ઓળખ ગણતરીના કલાકોમાં જ કરી હત્યાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરતા દાહોદ પંથકમાં ચકચાર મચી ગઇ છે. દાહોદ શહેરના જૂની કોર્ટની પાછળ આવેલ નાના ડબગરવાડમાં રહેતા ૧૯ વર્ષીય જગદીશભાઈ રાજેશભાઈ દેવડાને ગત રાતના અગિયાર વાગ્યાથી આજે સવારે ૧૦ વાગ્યા સુધીના આ સમયગાળામાં કોઈ અજાણ્યા ઇસમે વિક્રમ ઠાકોર કોઈ કારણસર માથામાં પાછળના ભાગે કોઈ બોથડ હથિયારથી ઘા મારી તથા ગળામાં આગળના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારથી ઘા મારી મોતને ઘાટ ઉતારી પુરાવાનો નાશ કરવાના ઈરાદે

મૃતક જગદીશ દેવડાની લાખણી સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કોઇ કારણસર અડધી બળેલી લાશ છોડી અજાણ્યો હત્યારો નાસી ગયો હતો.

જે લાશ મંગળવારના રોજ દાહોદ તાલુકાના નાની સારસી ગામે ગેસ પંપની સામે ડિવાઈડર પરથી અડધી બળેલી હાલતમાં મળી આવી હતી. આ અંગેની જાણ દાહોદ તાલુકા પોલીસને કરાતા તાલુકા પોલીસ સ્ટેશનના સિનિયર પી.એસ.આઇ, દેસાઈ પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓને સાથે લઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અડધી બળેલી લાશનો કબજાે લઇ પોલીસ લાશની ઓળખની કામગીરીમાં જાેતરાઈ હતી.ગણતરીના કલાકમાં લાશની ઓળખ કરી લેતા આ લાશ દાહોદ શહેરના નાના નગરમાં રહેતા ૧૯ વર્ષીય જગદીશભાઈ રાજેશભાઈ દેવડાની હોય આ અંગેની જાણ મૃતકના પરિવારજનોને કરવામાં આવી હતી.

પોલીસે પોસ્ટમોર્ટમ માટે લાશને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપી મૃતકના પિતા રાજેશભાઈ દેવડાની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જગદીશ રાજેશ ડબગરની હત્યા કોણે અને કયા કારણસર કરી હત્યાનું સ્થળ આજ છે કે પછી અત્યારે બીજી જગ્યાએ કરી તેની લાશ રાતે નાની સારસી ગામે લાવી પુરાવાનો નાશ કરવા પ્રયત્ન કર્યો તે બાબત પોલીસની ઊંડી તપાસ બાદ જ બહાર આવે તેમ છે. હાલ તો આ હત્યાનું રહસ્ય અકબંધ છે.