અંક્લેશ્વર, અંકલેશ્વર તાલુકા નાં સરફુદ્દીન ગામ નજીક નર્મદા નદી કિનારે યુવાન ની ચપ્પુ ના ઘા મારી હત્યા કરવામાં આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી. યુવાને રેલવે માં નોકરી માટે આપેલા રૂપિયા પરત માંગતા આરોપીએ યુવાન ને ચપ્પુ ના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.અંકલેશ્વર શહેર ના ચૌટા નાકા નજીક આવેલ દગા ફળિયા માં રહેતા ૨૩ વર્ષીય અનુપમ ઉત્તમભાઈ દાસ હવેલી ફળિયામાં રહેતા હર્ષ સત્યેશકુમાર પટેલ ને રેલવે માં નોકરી લગાડવા માટે રૂપિયા ૧ લાખ આપ્યા હતા.પરંતુ હર્ષ પટેલે તેને નોકરી એ ન લગાડતા તે વારંવાર હર્ષ પાસે રૂપિયાની માંગ કરતો હતો. આ બાબતની રીસ રાખી હર્ષ પટેલે કાવતરુ રચ્યુ હતુ.

જેના ભાગરૂપે આરોપી હર્ષ પટેલે તારીખ ૨૮મી ની રાતે અનુપમ દાસને કામ અર્થે સજાેદ જવાનું એમ કહીને પોતાની આઈ ૨૦ કારમાં બેસાડીને લઇ ગયો હતો, જાેકે હર્ષની વાત શંકાસ્પદ લાગતા અનુપમ નો ભાઈ રૂપમ દાસ પોતાની એક્ટિવા લઈને તેમની પાછળ પાછળ ગયો હતો. હર્ષ સજાેદ જવાના બહાને અનુપમ ને જૂના બોરભાઠા ગામ થી સરફુદ્દીન ગામ જતા રોડ પર નર્મદા નદી ના કિનારે લઈ ગયો હતો, અને અનુપમ પર છરી વડે હુમલો કર્યો હતો.જેમાં ગંભીર રીતે ઘવાયેલ ૨૩ વર્ષીય અનુપમ દાસનું મોત નીપજયુ હતુ.જ્યારે તેનો ભાઈ રૂપમ છોડાવા માટે વચ્ચે પડતા તેના ડાબા હાથ પર ચપ્પુ વડે હુમલો કરીને આરોપી હર્ષ પટેલ તેની કાર ઘટના સ્થળે જ મૂકી ફરાર થઈ ગયો હતો.બનાવની જાણ થતા જ શહેર પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને મૃતક ના મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી આરોપીની ધરપકડ માટે ના ચક્રો ગતિમાન કર્યા હતા.