ડાકોર

દેશભરમાં ધામધૂમ પૂર્વક દિવાળી ઉજવવામાં આવે છે ત્યારે બેસતા વર્ષે દરેક મંદિરોમાં પૂજા કરી અન્નકુટ ધરાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે કોરોનાને કારણે અનેક મંદિરો બંધ રાખવામાં આવ્યો છે તેમજ અનેક નિયમોનું પાલન કરી દર્શન કરવા મંજૂરી આપવામાં આવી છે. આ વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ડાકોર મંદિરમાં છેલ્લા કેટલાક વર્ષોથી બેસતા વર્ષના દિવસે ઠાકોરજીને અન્નકુટ ધરાવવામાં આવે છે. આ અન્નકુટની આસપાસના ગ્રામજનો લૂંટ ચલાવે છે. જાેકે, આ વખતે કોરોના મહામારીના કારણે આ પ્રથા રદ્દ કરવામાં આવી છે. તેના બદલે મંદિરમાં બંધ બારણે પ્રતિકાત્મક રીતે અન્નકુટ ધરવામાં આવશે. જાેકે, આ ર્નિણય સરપંચ અને પોલીસ વચ્ચે શુક્રવારે યોજાયેલી એક બેઠક દરમિયાન લેવામાં આવ્યો છે. આ અગાઉ સરપંચોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

જે મામલે હવે સમાધાન થયું છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં બિરાજમાન ભગવાન રણછોડરાયના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરતાં શ્રધ્ધાળુઓને આ વર્ષે નિરાશ થવું પડશે. મંદિર પ્રશાસન દ્વારા નવા વર્ષને દિવસે સાંજે ૪ વાગ્યા પછીજ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. અગાઉ કોરોના મહામારીના કારણે સોશ્યલ ડિસ્ટંન્સ સહિતના કોવિડના નિયમો ભંગ થવાના કારણે આ પ્રથા રદ્દ કરવા મંદિર અને તંત્ર વચ્ચે મડાગાંઠ ચાલતી હતી. દરમિયાનમાં આ પ્રથા રદ્દ થશે તો આસપાસના ગામના લોકો આંદોલન કરશે તેવી ચીમકી સરપંચોએ ઉચ્ચારી હતી.

આખરે આ મામલે શુક્રવારે પોલીસ અને સરપંચો વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં સરપંચોએ આંદોલનનો કાર્યક્રમ પડતો મુક્યો હતો. સાથોસાથ અન્નકુટ પ્રતિકાત્મક રીતે ભગવાનને ધરાવવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.