કાબૂલ- 

અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા વર્ચસ્વને રોકવા માટે અફઘાની સેના સતત મુકાબલો કરી રહ્યું છે. છેલ્લાં કેટલાંક દિવસથી અફઘાનિસ્તાનની સેનાના જવાનોને મોટી સફળતા મળી છે. અંદાજે ૨૪ કલાકની અંદર જ ૩૦૦ તાલિબાની લડાકોને સેનાએ ઠાર કરી દીધા છે. ગુરૂવારના રોજ અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલય દ્વારા તેની માહિતી આપવામાં આવી. ટ્‌વીટમાં લખ્યું છે કે છેલ્લાં ૨૪ કલાકમાં અફઘાનિસ્તાનના ઓપરેશનમાં ૩૦૩ તાલિબાની આતંકવાદીઓને મારી નાંખ્યા છે જ્યારે અફઘાની સેના દ્વારા આ ઓપરેશન નાગરહાર, લઘમાન, ગજની, પત્તિકા, કંદહાર સહિત અન્ય આસપાસના વિસ્તારોમાં ચલાવામાં આવ્યું હતું. આ દરમ્યાન મોટી સંખ્યામાં હથિયાર પણ જપ્ત કરાયા છે.આપને જણાવી દઇએ કે આ સિવાય અફઘાન સુરક્ષાબળોએ હેલમચંદ પ્રાંતની રાજધાની લશ્કરગાહ શહેરમાં એક મોટું આક્રમક અભિયાન શરૂ કર્યું છે અને રહેવાસીઓએ તાલિબાનના નિયંત્રવાળા ક્ષેત્રોને ખાલી કરવાનો આગ્રહ કર્યો છે.અફઘાની સુરક્ષાબળોએ ચેતવણી આપી છે કે તાલિબાન નાગરિકોના ઘરનો ઉપયોગ લડાઇની સ્થિતિ તરીકે કરી રહ્યા છે. અફઘાન મીડિયા રિપોર્ટસના મતે સ્પેશ્યલ ઓપરેશન્સ કોપર્સના કમાન્ડર હિબતુલ્લાહ અલીજઇએ કહ્યું કે બુધવાર રાત્રે લશ્કરગાહ શહેરમાં એક નિકાસી અભિયાન શરૂ કરાયું.લશ્કરગાહના પીડી-૧માં સ્થાનિક સમયાનુસાર રાત્રે અંદાજે ૧૦ વાગ્યે અભિયાન શરૂ કરાયું હતું. હિબતુલ્લાહે કહ્યું કે રહેવાસીઓથી તાલિબાનના નિયંત્રવાળા વિસ્તારોને ખાલી કરવાનો આગ્રહ કર્યો છે. કારણ કે હવાઇ હુમલો અને જમીની અભિયાન આગળ વધી રહ્યું છે. નાગરિકોને ચેતવણી આપતા કહ્યું છે કે તાલિબાન તેમના ઘરોનો ઉપયોગ ફાઇટિંગ પોઝિશન તરીકે કરી રહ્યા છે.