દિલ્હી-

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે આજે વહેલી સવારે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારબાદ તેમની દફનવિધિ અંગે મહત્વની જાણકારી સામે આવી છે. તેમના અવસાન બાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. જેના કારણે હવે તેમની અંતિમવિધિ કોરોનાના પ્રોટોકોલ અનુસાર દિલ્હીમાં જ કરવામાં આવશે તેવી વાત સામે આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તેમની અંતિમ ઈચ્છા હતી કે તેમને તેમના માતાપિતાની કબર પાસે જ દફનાવવામાં આવે. કદાચ આ વાતને ધ્યાનમાં રાખી તેમના પરિવારને તેમનો પાર્થિવ દેહ વતન લઈ જવા પરવાનગી આપવામાં આવી છેે. તેમના પાર્થિવ દેહને ચાર્ટડ પ્લેન મારફતે દિલ્હીથી વડોદરા લઈ જવામાં આવશે ત્યાંથી તેમના પૈતૃક ગામ અહમદ પટેલના પર્થિવ દેહને પિરામણ લવાશે જ્યાં તેમની દફનવિધિ કરવામાં આવશે.