દિલ્હી-

દેશમાં અને ખાસ કરીને કાશ્મીરમાં પણ વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યુ છે. અમરનાથ યાત્રા શરીન બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. તા. 15 થી રજીસ્ટ્રેશન શરુ થયુ હતુ અને આજે તે અટકાવી દેવાયુ છે. તથા ફરી તે કયારે શરુ કરાશે તે અંગે પણ કોઇ જાહેરાત કરવામાં આવી નથી. માનવામાં આવે છે કે કાશ્મીરમાં જે રીતે સંક્રમણ વધી રહયુ છે તે જોતા આ રજીસ્ટ્રેશન હાલ અટકાવી દેવાયુ છે.