લદ્દાખ, તા.૨૧ 

ભારતીય વાયુસેનાના એક આર્મી એડવાંસ્ડ લાઇટ હેલીકોપ્ટર ધ્રુવમાં કંઇક ટેÂક્નકલ ખરાબીને પગલે પૂર્વી લદ્દાખના ક્ષેત્રમાં અચાનક લેÂન્ડંગ કરાવવું પડ્યું. સેનાના સૂત્રો પાસેથી જે જાણકારી મળી રહી છે જે મુજબ તમામ ચાલક દળે અને તેમાં સવાર લોકો સુરક્ષિત છે. જણાવી દઇએ કે કંઇપણ દુર્ઘટના સર્જાય તે પહેલા આર્મીના હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે જમીન પર ઉતારી દેવામાં આવ્યું હતું, જેથી જાનમાલને કોઇ નુકસાન થયું નથી. લદ્દાખની ગલવાન વેલી પાસે ભારતીય સેના અને ચીની સેના આમને સામને આવી ગયા બાદ ટકરાવ થયો હતો. જેમાં ૨૦ જેટલા ભારતીય સૈનિકો શહીદ થઇ ગયા હતા અને ૪૦ જેટલા ચીની સૈનિકો પણ ઠાર મરાયા હતા. અહેવાલો મુજબ પથ્થર અને કાંટાળા ડંડાથી હુમલો થયો હતો. તે બાદથી જ ભારત અને ચીન વચ્ચે તણાવ વધી ગયો છે જેને ધ્યાનમાં લઇ એલએસી પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને સેનાની ત્રણેય પાંખને ગમે તેવી Âસ્થતિ માટે તૈયાર રહેવા કહી દેવામાં આવ્યું છે.