અંબાજી : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ના સર્વાંગી વિકાસ માટે અને અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓ ને વધુ સુખ સુવિધા મળે તે માટે અંબાજી માં નગરપાલિકા નહીં પણ સરકાર ની સીધી દેખ રેખ રહે તે માટે અંબાજી માં ઓથોરિટી શાસનનું વિધયક પસાર કરાતા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર એકશન મોડ માં આવ્યું છે ને તાત્કાલિક અસર થી અમલવારી થાય તે માટે જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં એક બેઠક અંબાજી ખાતે મળી હતી જેમાં પ્રવાસન નિગમ, યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ એસ.ટી નિગમ ના ઉચ્ચ અધિકારીઓ આ બેઠક માં ઉપસ્થિત રહ્યા હતા અને અંબાજી નો વધુ સારો વિકાશ થાય તે માટે ની ચર્ચાઓ હાથ ધરી હતી જેને લઈ જિલ્લા કલેકટર અંબાજી મંદિરે પહોંચતા બ્રહ્મણો દ્વારા ખેસ પહેરાવી તેમનું સ્વગત કરવામાં આવ્યું હતું અને કલેકટર આનંદ પટેલે માં અંબા ના દર્શન કર્યા હતા. આ બેઠક માં દાંતા પ્રાંત અધિકારી તેમજ મંદિર ના વહીવટદાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
Loading ...