ગાંધીનગર-઼

ગુજરાતમાં ૧૫મી જુલાઇ 2021 ગુરુવારથી ધો.૧૨ના વર્ગો, પોલિટેકનીક સંસ્થાનો અને કોલેજીસ 50% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે, વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશ મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં રાજ્યમાં 15મી જુલાઇ 2021 ગુરુવારથી ધો.૧૨ના વર્ગો, પોલિટેકનીક સંસ્થાનો અને કોલેજ 50% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે. આવી સંસ્થાઓમાં વિદ્યાર્થિઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે.