અમદાવાદ-

ધોરણ ૧૦માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત બાદ માર્કશીટ અપાઈ ન હોવાથી તેમજ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ અંગેના નિયમોની હજી સુધી જાહેરાત ન કરવામાં આવી નથી. છતાં ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટેના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવા એડમિશન કમિટી દ્વારા ૧૭મી નક્કી કરવામાં આવી છે. લાખો વિદ્યાર્થીઓ-વાલીઓ અને કોલેજ સંચાલકો ભારે મૂંઝવણભરી સ્થિતિમાં મૂકાઈ ગયા છે.

ડિપ્લોમા પ્રવેશ કમિટીએ આ અંગે વિવિધ ડિપ્લોમા ઈજનેરી કોલેજાેના પ્રિન્સિપાલને પત્ર લખીને આ સમગ્ર બાબતે જાણ કરશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટેની જાહેરાત સરકારે કરી હતી. જેમાં આઠ લાખથી વધુ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળવાનો છે. જાે કે આ વિદ્યાર્થીઓના પરિણામ પછી પ્રવેશના નિયમોની જાહેરાત બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી જ નથી. આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે એસીપીડીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ) તરફથી ડિપ્લોમા ઈજનેરી કોલેજાેમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન માટેની કાર્યવાહીનો ૧૭ જૂનથી પ્રારંભ કરવામાં આવશે.રજિસ્ટ્રેશન પ્રક્રિયા વેબસાઇટ પર મુકવામાં આવશે. એસીપીડીસીના મેમ્બર સેક્રેટરીએ ડિપ્લોમા ઈજનેરી કોલેજાેના આચાર્યોને પત્ર લખીને જાણ કરશે. ધોરણ ૧૦ પછીના ડિપ્લોમા ઈજનેરીના પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા વર્ષ ૨૦૨૧ અન્વયે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ડિપ્લોમા ઈજનેરીની વેબસાઈટમાં મૂકવામાં આવશે. દરેક સંસ્થાએ પ્રવેશ ઈચ્છુક ઉમેદવાર, વાલીઓને યોગ્ય માહિતી મળી રહે તે હેતુસર સોશિયલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક કવર સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની રહેશે.