અમદાવાદ-
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૯ થી ૧૧ તેમજ ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો ૨૦ ટકાને બદલે ૩૦ ટકા કરવામાં આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવે છે કે, કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ-૯થી ધોરણ-૧૨ના અભ્યાસક્રમમાં ૩૦% જેટલો ઘટાડો કરવામાં આવેલ છે. તેમજ પરીક્ષા પધ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે. જે મુજબ ધોરણ ૯, ૧૦, ૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારીને ૩૦% કરેલ છે. જે અગાઉ ૨૦% જેટલું હતું. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અગાઉની જેમ જ પ્રશ્નપત્રોમાં ૫૦% બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો અને ૫૦% વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોનું પ્રમાણ યથાવત રાખવામાં આવેલ છે. ધોરણ-૯ થી ૧૨માં પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવનાર છે. ઉકત ફેરફાર અન્વયે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ના મુખ્ય ૪૦ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર તથા નમૂનાના પ્રશ્નપત્રો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલા છે. જે તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફતે તમામ માધ્યમિક - ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મોકલી આપવામાં આવેલ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પણ ઉકત વિગતો મુકવામાં આવેલ છે. જેની સબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments