અમદાવાદ-

5 માર્ચથી GTUના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષા શરૂ થઈ ગઈ છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી 25 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઓફલાઇન પરીક્ષા માટે તમામ કોલેજોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા સૂચના આપી દેવામાં આવી છે. કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓ માટે અલગથી વ્યવસ્થા કરીને પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોનાને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. જ્યારે વિદ્યાર્થીઓને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે માટે તંત્ર દ્વારા ખાસ આયોજન પણ રાખવામાં આવશે. ત્યારે વિદ્યાર્થીઓમાં પણ કોરોનાનું સંક્રમણ વધતા ભયનો માહોલ જોવા મળ્યો છે. 5 માર્ચથી GTUના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષા શરૂ થઈ ગઈ છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી 25 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. દરેક કોલેજોમાં હાલમાં શૈક્ષણિક કાર્ય ઓફલાઇન શરૂ હોવાથી વિદ્યાર્થીઓ પોતાની કોલેજમાં જ પરીક્ષા આપશે. સામાન્ય પેપર 15 માર્ચથી જ્યારે મુખ્ય પરીક્ષા 16 માર્ચથી શરૂ થશે. દરેક કોલેજોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની સૂચના અપાઈ છે.