બનાસકાંઠા-

એક તરફ ગુજરાત સરકારે ધોરણ 9 અને 11માં ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શાળા ખોલવાની મંજૂરી આપી છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાની અંદર પાંથાવાડા પાસે આવેલી સરવા પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળું મારી દીધું છે. ગ્રામજનોની માગણી છે કે, શાળામાં પૂરાણ કરી તાત્કાલિક પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તો જ શાળાનું તાળું ખૂલશે. કારણ કે, શાળા પાસેથી પસાર થતો હાઈવે હાઈટમાં બન્યો હોવાના કારણે શાળા નીચાણમાં જતી રહી છે અને હાઈવેના કામ દરમિયાન શાળાનો કોટ પણ તૂટી ગયો છે. આથી બાળકોનો અકસ્માત થવાની સંભાવના વધી ગઈ છે તેવામાં તાત્કાલિક ધોરણે આ શાળાને પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે અને પૂરાણ કરી ઊંચી કરવામાં આવે તેવી માગણી સાથે આજે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી.હાલ તો આ ગામના લોકોની એક જ માગ છે જે તાત્કાલિક ધોરણે જો આ શાળાના બાળકોનું ભવિષ્ય સારું રાખવું હોય તો તાત્કાલિક આ ગામની તમામ માંગણી પૂર્ણ કરવામાં આવે અને જ્યાં સુધી તેમની માંગણી પૂર્ણ નહીં કરવામાં આવે ત્યાં સુધી આ શાળાને ખોલવામાં આવશે નહીં.બનાસકાંઠામાં પાથાવાડા પાસે આવેલી સરવા પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી છે. હાઈવે રોડ હાઈટ વાળો બનતા જ બાજુમાં આવેલી શાળા નીચાણમાં જતી રહી છે તેમજ શાળાની પ્રોટેક્શન વોલ પણ તૂટેલી હાલતમાં છે. આથી અકસ્માતના ભયને પગલે ગ્રામજનોએ ત્યાં સુધી શાળામાં પૂરાણ કરી પ્રોટેક્શન વોલ નહીં બને ત્યાં સુધી શાળા નહીં ખોલવા દેવાની ચીમકી ઉચ્ચારી છે.