ન્યૂ દિલ્હી

દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર હવે નબળી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,00,636 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે ગઈકાલે 2427 લોકોનાં મોત થયાં હતાં. જોકે ગઈકાલે એક લાખ 74,399 લોકો પણ સાજા થયા છે. જાણો દેશમાં કોરોનાની નવીનતમ સ્થિતિ શું છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા કેસો 61 દિવસમાં સૌથી ઓછા છે. અગાઉ 7 એપ્રિલના રોજ સૌથી ઓછા કેસ નોંધાયા હતા, ત્યારબાદ એક દિવસમાં એક લાખ 15 હજારથી વધુ કેસ નોંધાયા હતા. મંત્રાલયે માહિતી આપી છે કે હવે દેશમાં દૈનિક પોઝિટિવિટી દર 6.34 ટકા થઈ ગયો છે.

કુલ કેસ- 2,089,9,975

કુલ ડિસ્ચાર્જ- 2,71,59,180

કુલ મૃત્યુ- 3,49,186

કુલ સક્રિય કેસ- 14, 01,609