મુંબઈ-

IPL 2021 ની રમત હજુ શરુ થાય એ પહેલા જ ટુર્નામેન્ટમાં કોરોનાનો ફફડાટ વર્તાવા લાગ્યો છે. એક બાદ એક કોરોના સંક્રમિતો સામે આવવા લાગ્યા છે. હવે મુંબઇ ઇન્ડીયન્સ ટીમમાં પણ કોરોનાનો પગપેસારો થયો છે. ટીમના વિકેટકિપીંગ કન્સલટન્ટ કિરણ મોરે કોરોના સંક્રમિત જણાઇ આવ્યા છે. આ પહેલા મુંબઇમાં વાનખેડેમાં અગાઉ દશ અને બાદમાં વધુ ત્રણ ગ્રાઉન્ડમેન અન્ય સ્ટાફને કોરોના સંક્રમણ લાગ્યુ પડ્યુ હતુ. આમ હવે ટુર્નામેન્ટમાં એક બાદ એક સભ્યો કોરોનાની ઝપેટમાં સપડાઇ રહ્યા છે.

મુંબઇ ઇન્ડીયન્સની ટીમ દ્રારા ટ્વીટર કરીને જાણકારી આપવામા આવી હતી કે, વિકેટકિપીંગ કંસલ્ટન્ટ કિરણ મોરે કોરોના પોઝિટીવ છે. મુંબઇ ઇન્ડીયન્સે બતાવ્યુ હતુ કે, મોરે માં એસિમ્પટોમેટિક લક્ષણ જોવા મળ્યા હતા. કોરોના અંગેનો રિપોર્ટ આવતા જ તેમને આઇસોલેટ કરી દેવામાં આવ્યા હતા.