અમદાવાદ-
અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ મામલે મૃતકના પરિવારજનોએ સીબીઆઇ તપાસની માંગણી કરી છે. મૃતકોના પરિવારજનો શ્રેય હોસ્પિટલ પહોંચ્યા અને તેમની માંગણી રજૂ કરી. પરિવારજનો હાલમાં ચાલી રહેલી પોલીસ તપાસથી અસંતુષ્ટ છે. પોતાના વહાલસોયા સ્વજનો ગુમાવનારા લોકોએ આંખમાં આસું અને આજીજી સાથે ન્યાયની માંગણી કરી. મૃતકોના પરિવારજનોનું કહેવું છે કે શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ માટે જવાબદાર લોકોને છાવરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
Loading ...