અમદાવાદ-

પાક મરીન સીક્યુરીટીએ આજે વહેલી સવારે ભારતીય સીમામાંથી સાત બોટ સાથે ૩૬ માછીમારોના અપહરણ કર્યા હોવાનું બહાર આવતા માછીમાર સમાજમાં ચિંતાની લાગણી વ્યાપી છે. આજે સવારે ભારતીય જળ સીમા નજીક માછીમારો માછીમારી કરી રહ્યાં હતા ત્યારે પાક.ની મરીન સિક્યુરીટી એજન્સીએ સાત બોટ સાથે ૩૬ માછીમારોના અપહરણ કર્યા હોવાનું જાણવા મળે છે. આ સાત બોટમાં છ બોટ પોરબંદરની છે અને એક બોટલ વેરાવળની હોવાનું બહાર આવ્યું છે. જો કે ક્યાંથી અપહરણ કરાયા ને કઈ કઈ બોટ હતી માછીમારો કોણ હતા ? તે વિગતો હજુ મેળવાઈ રહી છે. આગામી સમયમાં હવે માછીમારીની સીઝન શરૂ થઈ રહી છે તેવા સમયે જ પાકની આ નાપાક હરકતોથી માછીમાર સમાજમાં ચિંતાની લાગણી વ્યાપી છે.