વડોદરા, તા.૨૨
શહેરના ગોત્રી વિસ્તારમાં ચંદ્રમૌલેશ્વર સોાસયટીમાં ઘરની ગેસલાઈન લીકેજ થવાના કારણે બનેલા આગના બનાવમાં દાઝેલા માતા-પુત્ર પૈકી ત્રણ વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે માતાની હાલત નાજુક હોવાનું તબીબીસૂત્રો દ્વારા જાણવા મળેલ છે.
આ બનાવની વિગત મુજબ ગઈકાલે રાત્રિના સમયે ગોત્રી વિસ્તારમાં આવેલ ગાયત્રી સ્કૂલ નજીક ચંદ્રમૌલેશ્વર સોસાયટીના એક મકાનમાં ગેસની લાઈનમાંથી ગેસ લીકેજ થઈ રહ્યો હતો. જેના કારણે વીજ લાઈટની સ્વીચ ચાલુ કરતાં જ ઘરમાં ગેસનો ફેલાવો થવાથી આગ ભભૂકી ઊઠી હતી. આ બનાવમાં ઘરમાં હાજર નયનાબેન ઉમંગભાઈ બારોટ (ઉં.વ.રર) અને પુત્ર મિવાન ઉમંગભાઈ બારોટ (ઉં.વ.૩) દાઝી ગયાં હતાં. આ બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં, જ્યાં સારવાર દરમિયાન માસૂમ પુત્ર મિવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે માતાની હાલત નાજુક હોવાનું તબીબીસૂત્રો દ્વારા જાણવા મળે છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments