તમિલનાડુ-

દેશમાં કોરોના વાઇરસની બીજી લહેરથી હંગામો મચાવી દીધો છે. આ મુદ્દે સોમવારે મદ્રાસ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે કોરોનાની બીજી લહેર માટે ચૂંટણીપંચને જવાબદાર ઠેરવ્યું છે, કારણ કે ચૂંટણીપંચે કોરોના સંકટ બાદ પણ ચૂંટણી પ્રચારની રેલીઓ રોકી ન હતી. મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એસ. બનર્જીએ સુનાવણી દરમિયાન નોંધ્યું કે, કોરોનાની બીજી લહેર માટે ચૂંટણીપંચ જવાબદાર છે. જો ચૂંટણીપંચના અધિકારીઓ પર મર્ડર ચાર્જ લાદવામાં આવે તો તેમાં ખોટું નહીં લાગે. કોર્ટમાં જ્યારે ચૂંટણીપંચે જવાબ આપ્યો કે, કોવિડ માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવે છે, ત્યારે મતદાનના દિવસે નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. જેના પર કોર્ટે કડક વલણ અપનાવતા પૂછ્યું હતું કે જ્યારે ચૂંટણી અભિયાન ચાલી રહ્યો હતો, ત્યારે ચૂંટણી પંચ અન્ય ગ્રહ પર હતું કે શું? આ સાથે મદ્રાસ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, ચૂંટણીપંચના અધિકારીઓ સામે સંભવતઃ હત્યાનો કેસ દાખલ કરવો જોઇએ.