બોડેલી, આખું વર્ષ ખેડૂતોએ વરસાદી આફતોમાં થયેલ નુકશાનીનું વળતળ તો આ ખેડૂતોને મળ્યું નથી પણ આ જે નુકશાન થયું છે તે અધિકારીઓની બેદરકારી ને લઈ થયું હોય આ વિસ્તારના ખેડૂતો વળતળની માંગ કરી રહ્યા છે બોડેલી તાલુકાના ગણેશવડ ગામ પાસેથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં પાણી છોડાતા કેનલો ઉભરાઇ જતા ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે અને ઊભો થયેલ માલ હવે નકામો બની ગયો છે જેને લઈ ખેડૂતોને ભારે નુકશાની વેઠવા નો વારો આવ્યો છે પરંતુ નર્મદા નિગમના અધિકારીઓને જાણે ખેડૂતો ની કાઇ પડી ન હોય તેમ લાગી રહ્યું છે ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તેમજ ખેતીમાં આવક બમણી થાય તે માટે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગણેશવડ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કોબા માઇનોર કેનલોનું પાણી ખેડૂતોના ખેતરો સુધી પોહચી જાય છે કેનલો તો બનાવી દીધી પરંતુ અધિકારીઓની બેદરકારીને લઈ જ્યારે કેનલોમાં પાણી છોડવામાં આવે છે ત્યારે કેનલોમાં દેખ રેખ રાખવામાં આવતી નથી. કેનલોમાં પાણી છોડી અધિકારીઓ પોતાની જવાબદારી પુરી કરી દે છે પરંતુ કેનાલો ઓવરફ્લો કે કેનલોમાથી પાણીનું જમણ થાય છે તેની કાળજી રાખવામાં આવતી નથી જેને લઈ ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જાય છે અને ખેડૂતોના ઊભા પાકને નુકશાન કરે છે સિંચાઇના પાણીથી લાભ મળવાને બદલે ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments