દિલ્હી-
આજે તે લોહડી છે પણ પંજાબના ખેડુતો તેની ઉજવણી કરી રહ્યા નથી. દિલ્હીની સરહદ પર, આંદોલનકારી ખેડૂતોએ ત્રણ નવા ખેતી કાયદાની પરત ખેંચવાની માંગ સાથે કહ્યું હતુ કે તેઓ લોહડીની ઉજવણી નહીં કરે પરંતુ લોહડીના દિવસે ત્રણેય કૃષિ કાયદાની નકલો બાળી નાખશે. ખેડૂત નેતા સતનામ સિંહ સાહનીએ કહ્યું કે, આજે અમે લોહરી ઉત્સવમાં 12 વાગ્યાથી કૃષિ કાયદાની નકલો સળગાવીશું.
તેમણે કહ્યું કે અમે ગઈકાલે સ્પષ્ટ કરી દીધું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિ સમક્ષ અમે જઈશું નહીં કારણ કે સમિતિના ચાર સભ્યો સરકારના લોકો છે. તેમણે પૂછ્યું કે અમે કેવી રીતે વિચારી લઇએ તેઓ અમારી સાથે પક્ષપાત નહીં કરે ? સાહનીએ કહ્યું કે, "સમિતિના સભ્યોમાંના એક, ભૂપેન્દ્ર માન જે ખેડૂત નેતા નથી. તેઓ કાયદાની તરફેણમાં રહ્યા છે, અમારા આંદોલનમાં ક્યારેય આવ્યા નહીં."
સાહનીએ આક્ષેપ કર્યો છે કે સમિતિમાં ખેડૂત આંદોલનનો પક્ષ લેવા વાળું કોઇ નથી. તેથી, આમારું આંદોલન આ રીતે ચાલુ રહેશે. તેમણે કહ્યું, "26 જાન્યુઆરીએ લાખો ટ્રેકટરોના ખેડુતો દિલ્હીમાં પરેડ કરશે. અમે શાંતિપૂર્ણ રીતે આ પરેડ કરીશું." તેમણે કહ્યું, "અમે ભારત સરકારના કોઈપણ કાર્યક્રમમાં કોઈ અડચણ ઉભી નહીં કરીએ."
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments