લુણાવાડા, આશરે એક પખવાડિયા પહેલાં લુણાવાડા તાલુકામાં આવેલ ચારણ ગામ સાલાવાડા ના એક જાગૃત નાગરિક લાલસિંહ માનસિહ પરમાર દ્વારા દબાણ દૂર કરવા અંગે કોઠંબા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી અને આ અરજીના સંદર્ભે સરપંચ દ્વારા તેમને ફોન પર ધમકી પણ આપેલ હતી પણ હવે સરપંચના પરિવાર ના સભ્ય પ્રવિણસિંહ અર્જુનસિંહ પરમાર દ્વારા લાલસિંહ માનસિંહ પરમાર ને ગામની વચ્ચે ઉભા રાખીને માર મારવામાં આવ્યા હતા અને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ ના માધ્યમથી લુણાવાડા કોટેજ હોસ્પિટલ પર લાવવામાં આવ્યા હતા આવ્યા હતા. આ માર મારવાથી તેમને સાંભળવાનો અને ચક્કર આવવા જેવી મુશ્કેલી ઉદભવી હતો.લાલજી પરમાર ને જ્યારે માર મરાયોે ત્યાર બાદ પોલીસ મથકે જાણ કરતાં પોલીસ દ્વારા સવારે ગાડી મોકલવા માં આવશે તેમ કહી ફોન મુક્યો હતો. પોલીસ તંત્ર પણ શંકાના દાયરામાં આવે તેવું લાગી રહ્યું છે.