અંક્લેશ્વર -
અંકલેશ્વર પાનોલી ઔદ્યોગિક વસાહત માં આવેલ પાર્થ કેમિકલમાં ધડાકા સાથે પ્રચંડ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો. બે કલાક ઉપરાંત ની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ઘટના માં કોઈ જાનહાની થવા પામી ન હતી.
અંકલેશ્વર પાનોલી ઔદ્યોગિક ક્ષેત્ર માં આવેલ પી.ઈ.ટી.એલ કંપની ની બાજુની પાર્થ કેમિકલ કંપની માં બુધવાર ની રાતે અચાનક આગ ફાટી નીકળી હતી. દિવસ દરમ્યાન વરસેલા મુશળધાર વરસાદ વચ્ચે પાર્થ કેમિકલ કંપની માં આગ ફાટી નીકળી હતી. જ્યાં આગમાં સોલ્વન્ટ બેરલ ધડાકાભેર ફાટતા આકાશમાં આગના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા પાનોલી ફાયર વિભાગ, અંકલેશ્વર ડીપીએમસી, અંકલેશ્વર નગર પાલિકા સહિત આંઠ ઉપરાંત ફાયર ફાયટરોની ટીમે ઘટના સ્થળે દોડી આવી બે કલાક ઉપરાંત ની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે ઘટના માં સદનસીબે કોઈ જાનહાની નહીં નોંધાતા તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો. નોંધનીય છે કે આ કંપની સોલ્વન્ટ રિકવરી ઉત્પાદન સાથે સંકળાયેલ છે. સાથે જ અન્ય ગોડાઉનમાં ડ્રમો રાખવા બદલ જીપીસીબીએ અગાઉ આ કંપનીની નોટીસ પણ ફટકારી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments