/
પૂર્વ મેયર ઉમાકાંત જાેષીની પુત્રવધૂ વેક્સિન રિસર્ચ ગ્રૂપમાં

વડોદરા, તા.૨૧

શહેર માટે ગર્વ લેવા જેવી બાબત સામે આવી છે. શહેરના પૂર્વ મેયર ઉમાકાંત જાેશીના પુત્રવધૂ ખ્યાતિબેન જાેબલ જાેશી જ્હોનસન એનડ જ્હોનસન કંપનીમાં ચાલતી કોરોના વેક્સિનેશનના રિસર્ચમાં જાેડાયાં છે. ખ્યાતીબેન જાેશીનો જન્મ વડોદરામાં થયો હતો. તેમનો પરિવાર વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં રહેતો હતો. પિતાની નોકરીની બદલી થતાં પરિવાર અમદાવાદ ખાતે સમર્પણ ટાવર ખાતે શિફટ થયો હતો. કોરોના વેક્સિનના રિસર્ચમાં જાેડાયેલ ખ્યાતિબેન જાેશીએ જણાવ્યું હતું કે, દર્દીને અમે રસી આપ્યા બાદ ઓછામાં ઓછા અડધો કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે. ક્લિનિકલ ટ્રાયલમાં તમામને રસી આપવામાં આવતી નથી. ઘણાચ લોકોને પેશીબો સુગર અને પાણી આપવામાં આવે છે. જેમાં સામાન્ય દવા હોય છે. કોરોના વેક્સિનમાં અપાતા દવાના ડોઝ હોતો નથી પરંતુ કયા દર્દીને રસી અપાઈ અને કોને પેશીબો અપાયું તે બાબતની જાણ માત્ર સ્ટડી સ્પોન્સર્સ અને ફાર્માસિસ્ટને જ ખબર હોય છે, જેથી રસી લેનાર અને પેશીબો લેનારને શું અસર થઈ છે તેનો તફાવત જાેવા મળે છે. વધુ તેણીએ ઉમેર્યું કે જ્હોનસન એન્ડ જ્હોનસન દ્વારા તૈયાર કરવામાં આવી રહેલ રસીને સામાન્ય ફ્રીજમાં મુકી ર૮ દિવસ સુધી રાખી શકાય છે. અમેરિકા ઉપરાંત યુ.કે., યુરોપ સહિતના દેશોમાં કોરોના વેક્સિન પર ગ્લોબલ સ્ટડી કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution