અમદાવાદ,તા.૨૧ 

ગુજરાતનાં ૪ રાજ્યસભાનાં સાંસદો આવતી કાલે શપથ ગ્રહણ કરશે. જેનાં માટે અગત્યની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. ગુજરાતનાં વિજેતા સભ્યો આજે દિલ્હી ખાતે જવા રવાના થઇ ગયા છે.નવનિર્વાચિત રાજ્યસભાનાં સાંસદો શપથ ગ્રહણ કરશે. જેમાં ગુજરાતનાં ૪ રાજ્યસભા સાંસદો શપથ ગ્રહણ કરશે. આ ૪ સાંસદોમાં અભય ભારદ્વાજ, રમિલાબેન બારા, નરહરિ અમીન અને શક્તિસિંહ ગોહિલનો સમાવેશ થાય છે કે જેઓ શપથ લેશે. આ શપથ ગ્રહણ કરવાને લઈ જરૂરી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. એક સાંસદ સાથે પરિવારનો એક જ સભ્ય ભાગ લેશે. આ શપથ ગ્રહણમાં સામાજિક અંતરનું ફરજિયાત પાલન કરવું પડશે. ગુજરાતનાં સાંસદો દિલ્હી ખાતે જવા રવાના થઇ ગયા છે. ગુજરાતમાં ૧૯ જૂનનાં રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપનાં ત્રણ ઉમેદવારોની જીત થઇ હતી. જ્યારે કાૅંગ્રેસનાં ફાળે એક બેઠક આવી હતી. જેમાં ભાજપનાં નરહરિ અમીન, અભય ભારદ્વાજ અને રમિલાબેન બારા વિજયી થયાં છે. જ્યારે કોંગ્રેસનાં શક્તિસિંહ ગોહિલ વિજયી થયા હતાં.