દિલ્હી-

1 માર્ચથી, 60 વર્ષ થી વધુ લોકોને કોરોના સામે રસી આપવામાં આવશે. આ રસી માત્ર સરકારી કેન્દ્રોમાં જ નિ: શુલ્ક રહેશે જ્યારે ખાનગીમાં તેનો શુલ્ક લેવામાં આવશે. આ ફી કેટલી હશે, તે એક-બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે. કેન્દ્રીય પ્રધાન અને ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે બુધવારે કેબિનેટ બ્રીફિંગ દરમિયાન આ વાત કહી હતી. તેમણે જણાવ્યું કે આવા લગભગ 10 કરોડ લોકો છે. 10,000 સરકારી કેન્દ્રોમાં રસી આપવામાં આવશે.

જાવડેકરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 3 મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા અને એક ચર્ચા કરવામાં આવી હતી. દેશએ કોરોના પર સફળ યુદ્ધ લડ્યું છે અને અન્ય દેશોની સરખામણીએ આપણું મૃત્યુ પણ ઓછું થયું છે. તેમણે જણાવ્યું હતું કે 1 માર્ચથી, 60 વર્ષથી વધુ અને 45 વર્ષથી ઉપરના લોકો (જેને કોઈ બીમારી છે) આવા લોકોની રસીકરણ અભિયાન શરૂ થશે. આ રસીકરણ અભિયાન સરકારી કેન્દ્રો પર નિ: શુલ્ક રહેશે. ખાનગી કેન્દ્રો ઉપર શુલ્ક લેવામાં આવશે જેના વિશે આરોગ્ય મંત્રાલય નિર્ણય લેશે.

તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 1,07,67000 લોકોને રસી આપવામાં આવી છે. 14 લાખ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 1 માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45 વર્ષથી ઉપરના લોકો કે જેમને કોઈ બીમારી છે તે સરકારી અને ખાનગીમાં રસી અપાવશે, આરોગ્ય વિભાગ 2 અથવા 3 દિવસ માટે તેની જાહેરાત કરશે.