દિલ્હી-

પાછળ ના દિવસની તુલનામાં દેશમાં કોરોનાના નવા કેસોમાં થોડો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના ના 3,43,144 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ રોગને કારણે ચાર હજાર લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 3,44,776 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે.

શુક્રવારે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાના કુલ 2,40,46,809 કેસ નોંધાયા છે. તે જ સમયે, આ રોગથી અત્યાર સુધી 2,62,317 લોકો મૃત્યુ પામ્યા છે. સક્રિય દર્દીઓની સંખ્યા 37,04,893 છે. તે જ સમયે, એક રાહત સમાચાર છે કે કોરોનાથી અત્યાર સુધી માં કુલ 2,00,79,599 દર્દીઓ સ્વસ્થ થયા છે. કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે, જે રાહત છે. છેલા 24 કલાકમાં દેશનો પુન: સ્વસ્થ થવાનો દર વધીને 83.50 ટકા થયો છે. આઈસીએમઆર અનુસાર છેલ્લા 24 કલાકમાં 18 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે. 13 મેના રોજ 18,75,515 પરીક્ષણો થયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 31,13,24,100 પરીક્ષણો કરવામાં આવ્યા છે.