અંબાજી-

માં અંબાનું મૂળ સ્થાન અંબાજી, જે 51 શક્તિપીઠમાનું એક તીર્થસ્થળ માનવામાં આવે છે. જેના નામના ગરબા સમગ્ર ભારતભર માં ગવાય છે, અને રમાય છે. આસો મહિના સુદની નવરાત્રીના ખેલૈયાઓ, ભારે આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે આ વખતે નવરાત્રીને કોરોનાનુ ગ્રહણ લાગ્યુ છે. રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી નહીં યોજવાનો નિણઁય લેવાયો છે. જેના પગલે યાત્રાધામ અંબાજી ચાચરચોક માં, નવરાત્રી દરમિયાન ગરબા નહીં યોજાય, અને જ્યાં દર વર્ષે માં અંબા માંનું ચાચરચોક, ખેલૈયાઓ થી ઉભરાતું હોય છે. જ્યાં હૈયે થી હૈયું દળાય તેટલી ભીડ જોવા મળતી હોય છે. પણ આ વખતે માં અંબાનું ચાચરચોક, ખેલૈયાઓ વગર સુમસાન રહેશે.

જોકે આ બાબતની સિદ્ધાંતિક જાહેરાત થઇ નથી. પણ રાજ્ય સરકાર, નવરાત્રી નહીં યોજવાની જાહેરાતને લઈ, અંબાજીના ગરબા પણ બંધ રહે, તેવી પુરે પુરી શક્યતાઓ છે. જેની વિધિવત જાહેરાત આજ જિલ્લા કલેક્ટર અને અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન દ્વારા કરી શકાય છે. જોકે હાલ તબ્બકે, કોરોનાની મહામારીના કારણે, કોરોનાનુ સક્ર્મણ ન ફેલાય, તે માટે રાજ્ય સરકારે લીધેલા નિણઁયને શ્રદ્ધાળુઓ આવકારી રહ્યા છે. એટલુ જ નહીં, શ્રદ્ધાળુઓ માતાજીના ચોક માં 5 ગરબા કરવા, તો કોઈ શેરી ગરબા કરવાની પરમીશન આપવાની માંગ પણ કરી રહ્યા છે.